નવી દિલ્હી: ભારત-ચીન (India-China) વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન લદાખ (Ladakh) માં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે રાતે હિંસક ઝડપ થઈ. આ ઝડપમાં ભારતીય સેનાના એક ઓફિસર સહીત 2 જવાન શહીદ થયાં. LAC પર ઝડપ બાદ ચીન તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવાયું કે ભારત સાથે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નથી થયું ફાયરિંગ
સેના પાસેથી મળેલી જાણકારી મુજબ LAC પર કોઈ ગોળી ચાલી નથી. ફક્ત હિંસક ઝડપ થઈ છે. આ ઝડપમાં ભારતીય સેનાના એક કમાન્ડિંગ ઓફિસર સહિત બે જવાન શહીદ થયા. ચીનના સૈનિકોને હટાવવા દરમિયાન હિંસક ઝડપ થઈ. ભારતીય સેના તરફથી અધિકૃત રીતે નિવેદન બહાર પાડવામાં આવ્યું. જે મુજબ ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ. આ દરમિયાન ભારતીય સેનાના એક ઓફિસર અને બે જવાન શહીદ થયાં. બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલ મામલાને શાંત કરવા માટે મોટી બેઠક યોજી રહ્યાં છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube